વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025ની 12મી આવૃત્તિ :
નવી દિલ્હી તાજેતરમાં પેરાલિમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં 'વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025' ની 12મી આવૃત્તિના લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારત 27 સપ્ટેમ્બરથી 05 ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.
> આ સમારંભના મુખ્ય અતિથિ નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આ કાર્યક્રમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સના વડા પોલ ફિટ્ઝર્લાડ, પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝરિયા અને ઇવેન્ટની બ્રાન્ડ એમ્બેસેડર કંગના રનૌત સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025નો માસ્કોટ અને લોગો
> આ 12 મી આવૃત્તિનો માસ્કોટ 'વિરાજ' છે.
> વિરાજ' એક યુવાન ડાથી છે.
> જ્યારે તેનો લોગો ભારતના સમૃદ્ધ વારસા, પેરા એથ્લેટિક્સની ભાવના અને યજમાન શહેર તરીકે નવી દિલ્હીની જીવંતતા દર્શાવે છે.
12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025 વિશે
> ભારત પહેલી વાર 27 સપ્ટેમ્બરથી 05 ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.
> આ ગેમ્સની 12મી આવૃત્તિ હશે.
> આ ભારતમાં સૌથી મોટી પેરાલિમ્પિક રમતગમતની ઇવેન્ટ હશે.
> અગાઉ દોડા-2015(કતાર), દુબઈ-2019 (સંયુક્ત આરબ અમીરાત) અને કોબે-2024 (જાપાન) આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
> આ 12મી વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ-2025માં 186 મેડલ ઈવેન્ટ્સ હશે.
> તે અગાઉની ઈવેન્ટ કરતા 15 વધુ છે.
> આમાંથી 101 પુરુષોની ઇવેન્ટ્સ, 84 મહિલાઓની ઇવેન્ટ્સ અને એક મિશ્ર ઇવેન્ટ સામેલ છે.
વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ વિશે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન વર્લ્ડ પેરા એથ્લેટિક્સ દ્વારા કરવામાં આવે છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ એ આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિનો એક ઘટક છે. તે પેરા-સ્પોર્ટ્સની વિશ્વની સંચાલક સંસ્થા છે. પ્રથમ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ નું આયોજન વર્ષ- 1994માં જર્મનીના બર્લિનમાં કરવામાં આવ્યું હતું.
પેરાલિમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા વિશે
- સ્થાપના : 1994
- તે શારીરિક રીતે વિકલાંગ અને વૃષ્ટિહીન લોકો માટે રમતગમતનું સંચાલક મંડળ છે. → તે આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ સાથે જોડાયેલ છે. મુખ્યાલય : બેંગલુરુ, કર્ણાટક
- અધ્યક્ષ : દેવેન્દ્ર જહાજરીયા
F-35B લાઈટનિંગ || ફાઈટર પ્લેન : બ્રિટન
> તાજેતરમાં 14 જૂન-2025ના રોજ બ્રિટિશ રોયલ નેવીના F- 35B લાઈટનિંગ । ફાઈટર પ્લેનનું કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછા ઈંધણ અને પ્રતિકૂળ હવામાનને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેરળમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને અરબી સમુદ્રના કિનારે ભારે વરસાદ અને તોફાની દરિયાઈ સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે.
> F-35 B લાઈટનિંગ ।। એ યુનાઈટેડ કિંગડમના HMS પ્રિન્સ ઓફ વેલ્સ એરક્રાફ્ટ કૅરિયરથી ઉડાન ભરી હતી. HMS પ્રિન્સ ઓફ વેલ્સ એરક્રાફ્ટ કેરિયર, અરબી સમુદ્રમાં કેરળ કિનારાથી લગભગ 100 નોટિકલ માઈલ દૂર સ્થિત છે.
> HMS પ્રિન્સ ઓફ વેલ્સ એ યુનાઇટેડ કિંગડમના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો એક ભાગ છે. તેમાં HMS પ્રિન્સ ઓફ વેલ્સ અને HMS રિચમંડનો સમાવેશ થાય छे.
> ભારતીય વાયુસેના ઈન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (IACCS) એ વિમાનને સુરક્ષિત રીતે નજીકના તિરુવનંતપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક સુધી પહોંચાડ્યું હતું. ભારતીય વાયુસેનાએ વિમાનને તમામ લોજિસ્ટિક્સ અને અન્યા સુવિધાઓ પૂરી પાડી છે.
> કેરિયર સ્ટ્રાઈક ગ્રુપના બ્રિટિશ ટેકનિશિયનો વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમનું સમારકામ કરવામાં અસમર્થ હતા.
> તેથી તેને રોયલ ઍરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર III પર સમારકામ માટે યુનાઇટેડ કિંગડમ પાછું લઈ જવામાં આવે તેવી અપેક્ષા છે.
F-35 ફાઈટર પ્લેન વિશે
> F-35એ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના લોકડીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલું સિંગલ-એન્જિન સ્ટીલ્થ ફાઈટર પ્લેન છે.
> તે પાંચમી પેઢીનું સ્ટીલ્થ પ્લેન છે.
> તે યુએસ એરફોર્સ F-16s અને A-10s, યુએસ નેવી F/A-185, યુએસ મરીન કોર્પ્સ AV-BB ડેરિયર્સ અને F/A-18s, અને યુકે હેરિયર GR.75 અને સી ડેરિયર્સનું સ્થાન લેશે.
> આ પ્લેન અમેરિકન સાથીઓને વેચવામાં આવ્યું છે.
> તે ભારતને પણ ઓફર કરવામાં આવ્યું છે.
> જોકે, યુનાઈટેડ સ્ટેટ્સે તેના કોઈપણ સાથી દેશો સાથે તેની ટેકનોલોજી શેર કરી નથી. F-35 એ વિશ્વના સૌથી મોંઘા વિમાનોમાંનું એક છે. તેની કિંમત પ્રતિ વિમાન આશરે $110 મિલિયન છે.
> ભારત-યુકે પાસેક્સ કવાયત વિશે ભારતીય નૌકાદળે 09 અને 10 જૂન 2025 ના રોજ યુનાઇટેડ કિંગડમના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સાથે પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કરવામાં આવ્યું હતું.
> તેમાં ભારતીય નૌકાદળે તેનું સ્ટીલ્થ ફ્રિગેટ INS તબાર, એક સબમરીન, અને તેનું લાંબા અંતરનું દરિયાઈ જાસૂસી પેટ્રોલ એરક્રાફ્ટ PSI તૈનાત કર્યું હતું.
રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતન: દહેરાદૂન
> તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 20 જૂન 2025 ના રોજ તેમના 67મા જન્મદિવસ નિમિત્તે દહેરાદૂનમાં રાષ્ટ્રપતિ (તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનનું જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે રાષ્ટ્રપતિ ઉદ્યાનનો શિલાન્યાસ પણ કર્યો કુહતો.
રાષ્ટ્રપતિ નિકેતન અથવા રાષ્ટ્રપતિ તપોવન વિશે
> અગાઉના રાષ્ટ્રપતિ ભવનનું નામ રાષ્ટ્રપતિ આશિયાના અને ડવે રાષ્ટ્રપતિ નિકેતન રાખવામાં આવ્યું છે.
> તે ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ડિમાલયની તળેટીમાં 21 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
> આ રાષ્ટ્રપતિ ભવન 1838માં ભારતના ગવર્નર જનરલના બોડીગાર્ડ માટે ઉનાળાના શિબિર તરીકે બનાવવામાં આવ્યું હતું.
> ત્યારબાદ 1976માં પ્રેસિડેન્શિયલ રિટ્રીટનું નામ બદલીને રાષ્ટ્રપતિ આશિયાના રાખવામાં આવ્યું હતું.
> જોકે, રાષ્ટ્રપતિ દ્વારા તેનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવ્યો छे.
> રાષ્ટ્રપતિ નિકેતનમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ઘોડાઓ માટે ઐતિહાસિક ઇમારતો, ઓર્કિડ અને તબેલાઓ છે.
> રાષ્ટ્રપતિ તપોવન NEV તે રાષ્ટ્રપતિ નિકેતનની બાજુમાં આવેલો 19 એકરનો જંગલ વિસ્તાર છે.
> તેને ઉત્તરાખંડ વન વિભાગના સહયોગથી વન વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યો છે. તપોવન સ્થાનિક વનસ્પતિઓથી સમૃદ્ધ છે. તેમાં કુદરતી વાંસના બગીચાઓ અને અવિક્ષેપિત વન ઇકોસિસ્ટમ છે.
> અહીં લગભગ 117 વનસ્પતિ પ્રજાતિઓ, પર પતંગિયા, 41 પક્ષીઓની પ્રજાતિઓ અને 07 જંગલી સસ્તન પ્રાણીઓ જોવા મળે છે.
> તપોવનને શાંત વિસ્તારો, જંગલના રસ્તાઓ, ધ્યાન ઝૂંપડીઓ સાથે શાંત અને ધ્યાનનું સ્થળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
નેટ-ઝીરો પબ્લિક પાર્ક વિશે
> તે શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે ટકાઉ જાહેર ઉદ્યાનનું એક મોડેલ હશે.
> તે 132 એકરમાં ફેલાયેલું ડશે.
> તે શારીરિક રીતે (વિકલાંગ અથવા દિવ્યાંગજનો માટે સંપૂર્ણપણે સુલભ હશે. તેમાં થીમેટિક બગીચો, બટરફલાય ગાર્ડન, એક મનોડર તળાવ અને એક પક્ષી સંગ્રહાલય હશે.
> આ ઉદ્યાનનો ઉદ્દેશ નાગરિકોમાં સુખાકારી, સંસ્કૃતિ અને નાગરિક ગૌરવને પ્રોત્સાહન આપવા માટે સમુદાય જોડાણ કેન્દ્ર બનવાનો છે.
નેટ-ઝીરો પબ્લિક પાર્ક વિશે
> તે શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે ટકાઉ જાહેર ઉદ્યાનનું એક મોડેલ હશે.
> તે 132 એકરમાં ફેલાયેલું ડશે.
> તે શારીરિક રીતે (વિકલાંગ) અથવા દિવ્યાંગજનો માટે સંપૂર્ણપણે સુલભ હશે.
> તેમાં થીમેટિક બગીચા, બટરફ્લાય ગાર્ડન, એક મનોડર તળાવ અને એક પક્ષી સંગ્રહાલય ડશે.
ભારતના રાષ્ટ્રપતિના રિટ્રીટ વિશે ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર સરનામું નવી દિલ્હીમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવન છે.
> જોકે, ભારતમાં બે રાષ્ટ્રપતિ નિવાસસ્થાન છે,જેમાં 01. શિમલા અને 02. તેલંગાણામાં સિકંદરાબાદ નો સમાવેશ થાય છે.
> રિટ્રીટએ રાષ્ટ્રપતિના કામચલાઉ સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલયનો ઉલ્લેખ કરે છે. → ઉનાળા દરમિયાન રાષ્ટ્રપતિ હિમાચલ પ્રદેશના શિમલામાં રાષ્ટ્રપતિ નિવાસમાં રહે છે.
સરિસ્કા ટાઈગર રિઝર્વ : રાજસ્થાન
> તાજેતરમાં સરિસ્કા ટાઇગર રિઝર્વના ક્રિટિકલ ટાઈગર ડેબિટેટ (CTH) ની સીમાને તર્કસંગત બનાવવા માટે તૈયાર કરાયેલી યોજના 50 થી વધુ માર્બલ અને ડોલોમાઈટ ખાણો માટે જીવનરેખા પ્રદાન કરી શકે છે. તે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CTHની નજીક ડોવાને કારણે બંધ કરવામાં આવી હતી.
> સરિસ્કા ટાઇગર રિઝર્વ વિશે તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે.
> તે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા "અરવલ્લી માં ફેલાયેલું છે.
> અગાઉ તે 1955માં કુદરતી અનામત અને 1979માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થયા પહેલા તે એક સમયે અલવરના મહારાજાનું શિકાર સ્થળ હતું. તે જૂના મંદિરો, મહેલો અને તળાવો જેમ કે પાંડુ પોલ, ભાનગઢ કિલ્લો, અજબગઢ, પ્રતાપગઢ, સિલિસેર તળાવ અને જયા સમંદ તળાવ માટે પણ પ્રખ્યાત છે.
> ભૂગોળ : તેમાં ખડકાળ ભૂપ્રદેશ, ઝાડી-ઝાંખરાવાળા કાંટાવાળા શુષ્ક જંગલો, ઘાસ, ડુંગરાળ ખડકો અને અર્ધ-પાનખર લાકડું છે.
> વનસ્પતિ : સરિસ્કાની વનસ્પતિ ઉત્તરીય ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો અને ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાના જંગલોને અનુરૂપ છે.
- google news
- latest news in hindi
- pradhan mantri kisan samman nidhi news
- 24 news live. live news